જે સ્વામિનારાયણ નામ લેશે
જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળી દેશે;
છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આ જ ગણાય એક...1
જો સ્વામિનારાયણ એક વાર, રટે બીજાં નામ રટ્યાં હજાર;
જપ્યા થકી જે ફળ થાય તેનું, કરી શકે વર્ણન કોણ એનું...2
ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;
સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે...3
ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ;
જ્યાં જ્યાં મહા મુક્તજનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય...4
જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય;
તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદૃબુદ્ધિ જાગે...5
તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાસી જાય;
શ્રી સ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે...6
ષડક્ષરો છે ષટ્ શાસ્ત્રસાર, તે તો ઉતારે ભવસિન્ધુ પાર;
છયે ઋતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે...7
પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ નિત્યે સ્મરવું સનેહે;
જળે કરીને તનમેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય...8
જેણે મહાપાપ કર્યાં અનંત, જેણે પીડ્યા બ્રાહ્મણ, ધેનુ, સંત;
તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં...9
શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર;
પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું...10
છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આ જ ગણાય એક...1
જો સ્વામિનારાયણ એક વાર, રટે બીજાં નામ રટ્યાં હજાર;
જપ્યા થકી જે ફળ થાય તેનું, કરી શકે વર્ણન કોણ એનું...2
ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;
સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે...3
ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ;
જ્યાં જ્યાં મહા મુક્તજનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય...4
જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય;
તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદૃબુદ્ધિ જાગે...5
તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાસી જાય;
શ્રી સ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે...6
ષડક્ષરો છે ષટ્ શાસ્ત્રસાર, તે તો ઉતારે ભવસિન્ધુ પાર;
છયે ઋતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે...7
પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ નિત્યે સ્મરવું સનેહે;
જળે કરીને તનમેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય...8
જેણે મહાપાપ કર્યાં અનંત, જેણે પીડ્યા બ્રાહ્મણ, ધેનુ, સંત;
તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં...9
શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર;
પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું...10
*****