(1) શ્રીમદ્ સદ્ગુણશાલિનં ચિદચિદિ વ્યાપ્તં ચ દિવ્યાકૃતિમ્
જીવેશાક્ષરમુક્ત-કોટિ સુખદં નૈકાવતારાધિપમ્ ।
જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભુમ્
તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વન્દે સદા ॥...
(2) આવ્યા અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારી થયા,
આપ્યાં સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા;
કીધાં ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી,
વંદું મંગલમૂર્તિ ઉર ધરી, સર્વોપરી શ્રીહરિ...
(3) શ્રીમન્નિર્ગુણ-મૂર્તિ સુંદર તનુ જે જ્ઞાનવાર્તા કથે,
જે સર્વજ્ઞ, સમસ્ત સાધુગુણ છે, માયા થકી મુક્ત છે;
સવૈશ્ર્વર્યથી પૂર્ણ આશ્રિતજનોના દોેષ ટાળે સદા,
એવા પ્રાગજી ભક્તરાજ ગુરુને પ્રેમે નમું સર્વદા.
(4) ઈતિ ગુણનિધિવંતા, ભક્ત જાગા ધિમંતા,
ભૂમિ પર એહિ સંતા, પંચ દોષા નિહંતા;
શ્રિતહિત અનુસરતા, મૂળ અજ્ઞાન હરતા,
ઘન સમ સુખ કર્તા જનોપદેશે વિચરતા.
(5) જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા,
જેને શરણ થયા પછી ભવ તણા ફેરા વિરામી ગયા;
જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી,
એવા ‘યજ્ઞપુરુષદાસ’ તમને પાયે નમું પ્રીતથી...
(6) વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં,
દૃષ્ટિમાં ભરી દિવ્યતા નીરખતા સુદિવ્ય ભકતો બધા;
હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું,
તે ‘શ્રી જ્ઞાનજી યોગીરાજ’ ગુરુને નિત્યે નમું ભાવશું.
(7) દીક્ષા અર્પી અહો ! ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ,
‘કાકા’ ને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે;
ભેદે સાક્ષી અનંતના, સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું,
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ ચરણે વંદન સદા હું કરું.
(8) જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજીસ્વરૂપે દીસે,
ધર્મ, જ્ઞાન, વિરાગ, ભક્તિ, મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે;
બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત્ સુધા તો ઝરે,
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુને સ્નેહે નમી સૌ તરે.
(9) જેની મંદ સુગંધ દિવ્ય દિગંતમાં પ્રસરી રહી છે ઘણી,
જેની વેલી ડાળ-ફૂલ-ફળરૂપે વિશ્ર્વોમહીં વ્યાપી રહી;
જેનો ગુંજારવ, જુઓ, ગણગણે સારાયે બ્રહ્માંડો મહીં,
એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુમાં સર્વે કળા છે રહી...