શ્લોકો

(1) શ્રીમદ્ સદ્‌ગુણશાલિનં ચિદચિદિ વ્યાપ્તં ચ દિવ્યાકૃતિમ્

જીવેશાક્ષરમુક્ત-કોટિ સુખદં નૈકાવતારાધિપમ્ ।

જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભુમ્

તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વન્દે સદા ॥...


(2) આવ્યા અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારી થયા,

આપ્યાં સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા;

કીધાં ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી,

વંદું મંગલમૂર્તિ ઉર ધરી, સર્વોપરી શ્રીહરિ...


(3) શ્રીમન્નિર્ગુણ-મૂર્તિ સુંદર તનુ જે જ્ઞાનવાર્તા કથે,

જે સર્વજ્ઞ, સમસ્ત સાધુગુણ છે, માયા થકી મુક્ત છે;

સવૈશ્ર્વર્યથી પૂર્ણ આશ્રિતજનોના દોેષ ટાળે સદા,

એવા પ્રાગજી ભક્તરાજ ગુરુને પ્રેમે નમું સર્વદા.


(4) ઈતિ ગુણનિધિવંતા, ભક્ત જાગા ધિમંતા,

ભૂમિ પર એહિ સંતા, પંચ દોષા નિહંતા;

શ્રિતહિત અનુસરતા, મૂળ અજ્ઞાન હરતા,

ઘન સમ સુખ કર્તા જનોપદેશે વિચરતા.


(5) જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા,

જેને શરણ થયા પછી ભવ તણા ફેરા વિરામી ગયા;

જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી,

એવા ‘યજ્ઞપુરુષદાસ’ તમને પાયે નમું પ્રીતથી...


(6) વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં,

દૃષ્ટિમાં ભરી દિવ્યતા નીરખતા સુદિવ્ય ભકતો બધા;

હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું,

તે ‘શ્રી જ્ઞાનજી યોગીરાજ’ ગુરુને નિત્યે નમું ભાવશું.


(7) દીક્ષા અર્પી અહો ! ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ,

‘કાકા’ ને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે;

ભેદે સાક્ષી અનંતના, સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું,

એવા ‘સ્વામી હરિપ્રસાદ’ ચરણે વંદન સદા હું કરું.


(8) જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજીસ્વરૂપે દીસે,

ધર્મ, જ્ઞાન, વિરાગ, ભક્તિ, મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે;

બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત્ સુધા તો ઝરે,

એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુને સ્નેહે નમી સૌ તરે.


(9) જેની મંદ સુગંધ દિવ્ય દિગંતમાં પ્રસરી રહી છે ઘણી,

જેની વેલી ડાળ-ફૂલ-ફળરૂપે વિશ્ર્વોમહીં વ્યાપી રહી;

જેનો ગુંજારવ, જુઓ, ગણગણે સારાયે બ્રહ્માંડો મહીં,

એવા ‘સ્વામી હરિપ્રસાદ’ વિભુમાં સર્વે કળા છે રહી...


*****